અમદાવાદીઓ નો વાર્ષિકોત્સવ “રથયાત્રા”
રથયાત્રા એ અમદાવાદીઓ નો વાર્ષિકોત્સવ છે.જેટલા ઉત્સાહ થી લોકો નવરાત્રી,દિવાળી,અને ઉત્તરાયણ નો તહેવાર ઉજવે છે તેજ રીતે રથયાત્રા પણ ઉજવે છે.દર વર્ષની અષાઢી સુદ ના બીજા દિવસે રથયાત્રા ઉજવાય છે.ર્વ અમદાવાદ માં નીકળતી આ નગરયાત્રા દરેક અમદાવાદીઓ નો માનીતો તહેવાર છે.લોકો પોતાના બાળકો ને સંસ્કારના એક ભાગ રૂપે રથયાત્રા વિષે સમજ આપે છે.અમદાવાદના પશ્ચિમ વિભાગ માં રહેતા લોકો પણ આ નગરયાત્રા માં જોડવા અને નિહાળવા માટે આતુર હોય છે.

ભગવાન જગન્નાથ સુભદ્રા અને બલભદ્ર સાથે રથ માં બીરાજી ભાવી ભક્તોને દર્શન આપવા આવે છે.ભગવાન જગન્નાથ ના મુખનો રંગ કાળો હોય છે.સુભદ્રા ના મુખ નો રંગ પીળો હોઉં છે.અને બલભદ્ર ના મુખ નો રંગ સફેદ હોય છે.
રથ ને કોઈ યાંત્રિક કે આધુનિક સાધન વડે નહિ પણ દોરડા વડે બાંધી ખલાસી ભાઈઓ ધ્વારા ખેંચવામાં આવે છે.લાખો લોકો ભગવાન ના દર્શને આવે છે.સરસ રીતે રંગાયેલા હાથી જોડાય છે.લગભગ ૧૦૦ કે તે થી વધુ ટ્રક અલગ અલગ શણગાર માં હોય છે.રથયાત્રા નું મુખ્ય આકર્ષણ છે અખાડા ૩૦ જેટલા અખાડા રથયાત્રા માં ભાગ લેછે,અને નવી નવી કરતબો બતાવે છે.ભજન મંડળીઓ પણ હોંશે હોંશે જોડાઈ મંજીરા અને કરતાલ લઇ આખો દિવસ ભગવાન ના ભજન-કીર્તન કરે છે.
ટ્રક માં બેઠેલા ભક્તો ધ્વારા મગ અને જાંબુ નો પ્રસાદ આપવામાં આવે છે.બપોરે બાર વાગે રથયાત્રા સરસપુર વિસ્તાર માં પહોચે છે. જેને ભગવાન જગન્નાથ નું મોસાળ ગણાય છે.ત્યાં લાખો લોકો ને ભોજન આપવામાં આવે છે.થોડી વાર ના આરામ બાદ રથયાત્રા પછી ફરે છે.
સવાર ના ૭.૦૦ વાગે નીકળેલી આ નગરયાત્રા સહાંજ ના ૭ વાગે જગન્નાથ ભગવાન ના મંદિરે પાછી ફરે છે.




.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)




